Gujarat

બોટાદમાં ગોપાલ નગરના રહીશોએ મોબાઈલ ટાવરને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું

બોટાદ
બોટાદ ખાતે તુરખા રોડ ઉપર આવેલા ગોપાલ નગર નામના વિસ્તારમાં હાલમાં મોબાઈલ ટાવર ઉભો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેની સામે આ વિસ્તારના રહીશોનો વિરોધ છે. તેઓ જણાવે છે કે, આ મોબાઈલ ટાવર ઉભો થવાથી રેડીએશન વધે છે, બાળકોને, વૃદ્ધોને ભવિષ્ય તકલીફ પડે તેમ છે. તેમજ કુદરતી આફત સમયે જાે ટાવર પડે તો જાનહાની થાય તેમ છે. તેમજ આ ટાવર નિયમ વિરુદ્ધનો બનાવવામાં આવેલો છે તેવું તેઓએ જણાવ્યું હતુ. આ મોબાઈલ ટાવર અમારા રહેણાંકી વિસ્તારમાં ન બનવો જાેઈએ તેવી માગ સાથે આજરોજ આ વિસ્તારના નાગરિકોએ બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. વધુમાં તેઓએ જણાવેલ કે, જાે અમારા આ મોબાઇલ ટાવરના પ્રશ્ન અંગે કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવે તો, નાછુંટકે અમારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *