બોડેલી તાલુકાના કાશીપુરા – કેસરપુરા ગામને જોડતો ક્રોઝવે આસપાસના અનેક ગામના ગ્રામજનો સહિત ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ત્યારે આ ક્રોઝવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા ખેડૂતો સહિત વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત ક્રોઝવે બિસ્માર અને જર્જરિત હાલતમાં હોય વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે જ્યારે ચોમાસાની સિઝનમાં કોતર પર આવેલ આ ક્રોઝવે પાણીમાં ગરકાવ થતા કાશીપુરા સહિત આસપાસના અને ગામના લોકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જયારે સંબધિત તંત્ર દ્વારા વહેલી ક્રોઝવે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
બોડેલીના કાશીપુરા – કેસરપુરા ગામને જોડતો ક્રોઝવે બિસ્માર અને જર્જરિત થતા કાશીપુરા સહિત આસપાસના ખેડૂતો સહિત વાહન ચલાકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


