બોડેલી નજીક અમલપુરા ગામેથી વન વિભાગની ટીમે દીપડા ને પકડી લેતા લોકો એ રાહત નો સ્વાસ લીધો
બોડેલી તાલુકા મા આદમખોર બનેલા દીપડાએ એક સપ્તાહના ગાળામાં બે બાળકો પર હુમલો કરી ખેંચીને લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યા હોવાનાં બનાવ બાદ બોડેલી પંથકમા ભયનો માહોલ સર્જાયો હતો લોકો પોતાના ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા હતા તો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું પણ ટાળી રહ્યા હતા ચપળાક આદમખોર દિપડાને પકડવા વન વિભાગના નાકમાં દમ કરી મુક્યો હતો છેલ્લા દશ દિવસથી રાત દિવસ વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓના ધાડા ખડકી દેવાયા હતા અને દિપડા ને પકડવા મુલધર, ટોકરવા , ધોળીવાવ, સહિત ના વિસતારોમા 14 જેટલા પાંજરા મુક્યા હતા દશ દશ દિવસ સુધી દિપડો હાથતાળી આપતા વન વિભાગને સફળતા મળતી ન હતી જેને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને લોકો ને આખી રાત્રિ ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો
એક સપ્તાહ મા બબ્બે બાળકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના બનાવને પગલે બોડેલી પંથકમાં દિપડા ની દહેશત સાથે માતમનો માહોલ છવાયો હતો આદમખોર બનેલા દિપડાએ બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો જેને લઇ ટોકરવા ,મુલધર ,ધોળીવાવ સહિતના ગ્રામ જનો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા હતા શાળા મા વિદ્યાર્થીઓનો સંખ્યા ઘટી તો કેટલાક વાલીઓ પોતાના બાળક ને શાળાએ છોડવા જાય અને આચાર્ય પોતાની શાળા મા આવતા વિદ્યાર્થીઓને શાળામા આવ્યા બાદ શાળા ના ગેટ બંધ કરી અભ્યાસ કરાવી બાદ તેમને સુરક્ષીત ઘરે પહોંચાડી પોતાની ફરજ બજાવી હતી
વન વિભાગ દ્વારા અગાઉ બોડેલી નજીક નાં મુલધર ગામનાં બનાવ બાદ આ માનવભક્ષી દીપડાને પકડવા મૂકવામાં આવેલા પાંજરા ને ત્યાં થી હટાવી જગ્યા બદલી બીજા વધુ પાંજરા પણ મંગાવી ગોઠવવામાં આવ્યા વન વિભાગનાં કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ આદમખોર દીપડો પકડ થી દુર હતો બોડેલી નજીક ના કકરોલિયા અને ટોકરવા ગામ વચ્ચે દીપડો દેખાતા વન વિભાગ ની ટીમે દિપડાનો ઘેરાવો કર્યો હતો
પંથકમાં કયાં અને ક્યારે હુમલો કરશે તેવી દહેશત સતત લોકો સેવી રહ્યો હતો આ માનવ ભક્ષી દીપડાને પકડી પાડવામા આવ્યો છે ત્યારે બોડેલી નગર સહીત પંથકના તમામ લોકો એ હાશકારો અનુભવ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર