Gujarat

બોરસદ ખાતે ગ્રામ્યકક્ષાના આગેવાનોની તાલીમ યોજાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
બોરસદ, આંકલાવ તાલુકાના ગામડાંઓના પડતર પ્રશ્નો, મુઝવણો તથા સામાજિક બદલાવ માટે ગ્રામ્યસ્તરે સક્ષમ આગેવાની તૈયાર થાય તેવા હેતુથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 23/04/’23ના રોજ બોરસદ તાલુકા પંચાયત ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોરસદ તથા આંકલાવ તાલુકાના જુદાજુદા ગામોમાંથી 34 જેટલા સામુદાયિક આગેવાનોએ સક્રિય ભાગ લીધો હતો. સવારનાના 11:00થી બપોરના 3:00 સુધી કાર્યરત રહેલી આ તાલીમ/મિટિંગમાં આશાદીપના સ્ટાફ દ્વારા સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય ? બદલાવની શરૂઆત ક્યાંથી કરવી ? નેતૃત્વ ક્ષમતા કેવી રીતે વધારી શકાય ? જેવા મહત્વના મુદ્દાઓની સાથોસાથ પ્રેરણાદાયી બાબતોની પણ સમજ આપવામાં આવી હતી.

IMG-20230423-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *