Gujarat

બ્રહ્મ સત્ય જગત મિથ્યા

આ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે. એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્‍ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.

૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી  માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે.

સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કેઃસાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્‍યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.

જેને સત્ય બ્રહ્મની પ્રાપ્‍તિ કરી એવા સંતોની સાથે દુર્જનો સહજ સ્વાભાવિક યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો આશ્ર્ચર્યજનક છે,કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી,પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.

બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને  શિષ્‍યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્‍તિ થતી નથી, સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.

તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.

હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય,ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે,પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.

સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી. બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કેઃહું તો અંદર-બહાર પરમાત્મા થી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.

બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થતું નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરવાની મર્યાદાનું પાલન કર્યું છે. બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃ જાણવું..જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા..ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી શાસ્ત્ર કૃપા..ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્‍ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.

માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા..જીભથી હરિના ગુણગાન ન કરવા..અહંકારનો ત્યાગ ન કરવો..સંતોના ચરણમાં નમસ્કાર ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના માટે પ્રશ્ન ન કરવો..દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ) નું જ્ઞાન પ્રાપ્‍ત ન કરવું અને તેને પ્રાપ્‍ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું…એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કેઃમાનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.

જે હંમેશાં એકરસ રહે છે તે પરમસત્ય છે,તે પરબ્રહ્મ છે.હું પણ તે સત્ય બ્રહ્મનો જ અંશ છું અને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થઇને તેમાં વિલય થઇને મુક્તિને પ્રાપ્ત થનાર છું.જે પ્રતિપળ બદલતો રહે છે તે સંસાર મિથ્યા છે.આ મિથ્યા સંસારને સત્ય માનીને ધન કમાવવામાં,મકાન બનાવવામાં,સંતાનોના પાલન-પોષણ કરવામાં જીવન વેડફી નાખે છે તે માનવને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ તત્વદર્શી સદગુરૂ મળે તો એક પ્રભુ પરમાત્માના દર્શન કરતાં પછી તેને સંસાર સ્વપ્ન જેવો લાગે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *