Gujarat

ભણે નરસૈયો, ગિરનારના ગેબી અવાજો, સ્વાધિનતા સંગ્રામના શુરવીરો, કવિ સંમેલન, લોકસાહિત્ય અને સંત સાહિત્ય ઝબકાર સહિતના વિષય પર સત્ર યોજાશે

જૂનાગઢ એટલે આદિ કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ. જૂનાગઢમાં સાહિત્યકારોને પદ્મ શ્રી કવિ દાદશ્યામ સાધુમનોજ ખંડેરીયાની યાદ આવે. જૂનાગઢ એટલે સાક્ષરોની નગરી.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ ગિરનાર સાહિત્ય ઉત્સવ યોજાનાર છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જ્યેન્દ્રસિંહ જાદવે મીડિયા કર્મીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કેગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કેમોટા શહેરોમાં સાહિત્યની પ્રવૃતિ વધુ પ્રમાણમાં થતી હોય છે. પરંતુ મધ્યમ કક્ષાના શહેરોમાં આ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોતા નથી. ત્યારે નાના શહેરોમાં પણ આ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે અને સાહિત્યનો આ સ્વાદ માણે એ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ વખત જૂનાગઢમાં બે દિવસીય સાહિત્ય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પ્રથમ દિવસે સવારે ૧૦ થી ૧૧ કલાક ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે. જેમાં જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડિયાગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હાભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી.ચોવટીયારૂપાયતના ટ્રસ્ટી શ્રી હેમંત નાણાવટીગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવસંચાલન ડો.નિસર્ગ આહીરસવારે ૧૧-૩૦થી ૧ કલાકે ભણે નરસૈયો નરસિંહ સ્મરણ(ઓડીટોરિયમ-૧) વિષય પર શ્રી બળવંત જાનીશ્રી રમેશ મહેતાનાણાવટી બ્રધર્સ-નરસિંહ સ્મરણ વંદના સંચાલન ડો.રૂપલ માંકડબપોરે ત્રણથી પાંચ કલાક ગિરનારના ગેબી અવાજો (ઓડિટોરિયમ-૧) વિષય પર શ્રી નીતિન વડગામા-શ્રી મનોજ ખંડેરીયા વિશેશ્રી સંજુવાળા-શ્રીશ્યામ સાધુ વિશેશ્રી રાજેન્દ્ર શુક્લશ્રી ઉર્વીશ વસાવડાસંચાલન ડો.નિસર્ગ આહિરબપોરે ૩ થી ૫ કલાકે વાર્તા રે વાર્તાગુજરાતી બાળસાહિત્ય વાર્તાઓ (વેન્યુ-૨)માં ડો.રક્ષાબેન દવે સુ.શ્રી.ગીરીમા-ઘારેખાનસંચાલન સુ. શ્રી.પારુલ બારોટબપોરે ૫ થી ૬-૩૦ કલાકે અમૃત ગાથાઅમૃતગાન (સ્વાધીનતા સંગ્રામના શૂરવીરો) (ઓડિટોરિયમ-૧)માં ડો.વિશાલ જોશી-અમૃત ગાથાશ્રી અભેસિંહ રાઠોડ અને વૃંદ-અમૃતગાનસાંજે ૬-૩૦ થી ૮ કલાકે કાવ્યાંયન (કવિ સંમેલન) (વેન્યુ-૨) શ્રી રાજેન્દ્ર શુક્લ-અધ્યક્ષશ્રી વીરૂ પુરોહિતશ્રી નીતિન વડગામાશ્રી ઉર્વીશ વસાવડાશ્રી એસ.એસ રાહીશ્રી અશોક ચાવડા સુ.શ્રી.નેહા પુરોહિતસાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ કલાકે રંગમંચનું રજવાડું (ઓડીટોરિયમ-૧)પદ્મશ્રી સરિતા જોશી-સંતુ રંગીલી અને એકોક્તિઓઅકૂપાર-લેખન શ્રી ધ્રુવ ભટ્ટદિગ્દર્શક અદિતિ દેસાઈ પ્રસ્તુતિ રજૂ કરશે.

જ્યારે બીજા દિવસે તા.૨૬ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧૧-૩૦ કલાકે લોકસાહિત્યનો રણકારસંત સાહિત્યનો ઝબકાર(ઓડીટોરિયમ-૧)વિષય પર શ્રી નિરંજન રાજગુરુશ્રી નાથાલાલ ગોહિલશ્રી મનોજ રાવલસવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાકે ટેરવે ઉગ્યું આકાશ (મહિલા સાહિત્યકારોની કેફિયત) વિષય પર સુ.શ્રી. લત્તા હિરાણીસુ.શ્રી.મીનાક્ષી ચંદારાણાસુ.શ્રી.રક્ષા શુક્લસુ.શ્રી. હર્ષિદા ત્રિવેદીસુ.શ્રી.નિશા નાણાવટીબપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ કલાકે મડિયા રાજા-મડિયા શતાબ્દી નિમિત્તે વાંચી કમ (ઓડિટોરિયમ-૧) ખાતે આરજે દેવકીસુ.શ્રી. અદિતી દેસાઈશ્રી ગૌરાંગ આનંદશ્રી હિરેન પટેલશ્રી જીગર બગરીયાબપોરે ૨ થી ૩ કલાકે ગીત મજાના ગાશું (બાળકો માટે) શ્રીકૃષ્ણ દવેશ્રી કિરીટ ગોસ્વામીસંચાલન શ્રી પાર્થ ખાચરબપોરે ૩ થી ૪-૩૦ કલાકે બે જણા દિલથી મળેચાંદ પરોસા હેગુલઝારને ગીત કવિતા વિષય પર શ્રી મિલિંદ ગઢવીસુ.શ્રી.ગાથા પોટાશ્રી ધૈર્ય રાજપરાશ્રી ફિરદૌસ દેખૈયાસુ.શ્રી.સમીર પત્રાવાલાબપોરે ૫ થી ૬-૩૦  કલાકે સમાન ભાષણ-સાહિત્યની આજ અને આવતીકાલ પર સત્ર યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *