જૂનાગઢ એટલે આદિ કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ. જૂનાગઢમાં સાહિત્યકારોને પદ્મ શ્રી કવિ દાદ, શ્યામ સાધુ, મનોજ ખંડેરીયાની યાદ આવે. જૂનાગઢ એટલે સાક્ષરોની નગરી.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ ગિરનાર સાહિત્ય ઉત્સવ યોજાનાર છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જ્યેન્દ્રસિંહ જાદવે મીડિયા કર્મીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મોટા શહેરોમાં સાહિત્યની પ્રવૃતિ વધુ પ્રમાણમાં થતી હોય છે. પરંતુ મધ્યમ કક્ષાના શહેરોમાં આ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોતા નથી. ત્યારે નાના શહેરોમાં પણ આ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે અને સાહિત્યનો આ સ્વાદ માણે એ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ વખત જૂનાગઢમાં બે દિવસીય સાહિત્ય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ દિવસે સવારે ૧૦ થી ૧૧ કલાક ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાશે. જેમાં જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી.ચોવટીયા, રૂપાયતના ટ્રસ્ટી શ્રી હેમંત નાણાવટી, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવ, સંચાલન ડો.નિસર્ગ આહીર, સવારે ૧૧-૩૦થી ૧ કલાકે ભણે નરસૈયો નરસિંહ સ્મરણ(ઓડીટોરિયમ-૧) વિષય પર શ્રી બળવંત જાની, શ્રી રમેશ મહેતા, નાણાવટી બ્રધર્સ-નરસિંહ સ્મરણ વંદના સંચાલન ડો.રૂપલ માંકડ, બપોરે ત્રણથી પાંચ કલાક ગિરનારના ગેબી અવાજો (ઓડિટોરિયમ-૧) વિષય પર શ્રી નીતિન વડગામા-શ્રી મનોજ ખંડેરીયા વિશે, શ્રી સંજુવાળા-શ્રીશ્યામ સાધુ વિશે, શ્રી રાજેન્દ્ર શુક્લ, શ્રી ઉર્વીશ વસાવડા, સંચાલન ડો.નિસર્ગ આહિર, બપોરે ૩ થી ૫ કલાકે વાર્તા રે વાર્તા, ગુજરાતી બાળસાહિત્ય વાર્તાઓ (વેન્યુ-૨)માં ડો.રક્ષાબેન દવે સુ.શ્રી.ગીરીમા-ઘારેખાન, સંચાલન સુ. શ્રી.પારુલ બારોટ, બપોરે ૫ થી ૬-૩૦ કલાકે અમૃત ગાથા, અમૃતગાન (સ્વાધીનતા સંગ્રામના શૂરવીરો) (ઓડિટોરિયમ-૧)માં ડો.વિશાલ જોશી-અમૃત ગાથા, શ્રી અભેસિંહ રાઠોડ અને વૃંદ-અમૃતગાન, સાંજે ૬-૩૦ થી ૮ કલાકે કાવ્યાંયન (કવિ સંમેલન) (વેન્યુ-૨) શ્રી રાજેન્દ્ર શુક્લ-અધ્યક્ષ, શ્રી વીરૂ પુરોહિત, શ્રી નીતિન વડગામા, શ્રી ઉર્વીશ વસાવડા, શ્રી એસ.એસ રાહી, શ્રી અશોક ચાવડા સુ.શ્રી.નેહા પુરોહિત, સાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ કલાકે રંગમંચનું રજવાડું (ઓડીટોરિયમ-૧)પદ્મશ્રી સરિતા જોશી-સંતુ રંગીલી અને એકોક્તિઓ, અકૂપાર-લેખન શ્રી ધ્રુવ ભટ્ટ, દિગ્દર્શક અદિતિ દેસાઈ પ્રસ્તુતિ રજૂ કરશે.
જ્યારે બીજા દિવસે તા.૨૬ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧૧-૩૦ કલાકે લોકસાહિત્યનો રણકાર, સંત સાહિત્યનો ઝબકાર(ઓડીટોરિયમ-૧)વિષય પર શ્રી નિરંજન રાજગુરુ, શ્રી નાથાલાલ ગોહિલ, શ્રી મનોજ રાવલ, સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાકે ટેરવે ઉગ્યું આકાશ (મહિલા સાહિત્યકારોની કેફિયત) વિષય પર સુ.શ્રી. લત્તા હિરાણી, સુ.શ્રી.મીનાક્ષી ચંદારાણા, સુ.શ્રી.રક્ષા શુક્લ, સુ.શ્રી. હર્ષિદા ત્રિવેદી, સુ.શ્રી.નિશા નાણાવટી, બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ કલાકે મડિયા રાજા-મડિયા શતાબ્દી નિમિત્તે વાંચી કમ (ઓડિટોરિયમ-૧) ખાતે આરજે દેવકી, સુ.શ્રી. અદિતી દેસાઈ, શ્રી ગૌરાંગ આનંદ, શ્રી હિરેન પટેલ, શ્રી જીગર બગરીયા, બપોરે ૨ થી ૩ કલાકે ગીત મજાના ગાશું (બાળકો માટે) શ્રીકૃષ્ણ દવે, શ્રી કિરીટ ગોસ્વામી, સંચાલન શ્રી પાર્થ ખાચર, બપોરે ૩ થી ૪-૩૦ કલાકે બે જણા દિલથી મળે, ચાંદ પરોસા હે, ગુલઝારને ગીત કવિતા વિષય પર શ્રી મિલિંદ ગઢવી, સુ.શ્રી.ગાથા પોટા, શ્રી ધૈર્ય રાજપરા, શ્રી ફિરદૌસ દેખૈયા, સુ.શ્રી.સમીર પત્રાવાલા, બપોરે ૫ થી ૬-૩૦ કલાકે સમાન ભાષણ-સાહિત્યની આજ અને આવતીકાલ પર સત્ર યોજાશે.
