મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ-સંપ્રદાયના સાધુ ભગવાન ભોળાનાથની આરાધના કરવા પહોંચી જાય છે. ત્યારે સાધુ-સંતોના દર્શન અને તેમના સંગને ઘણાં ભાવિકો પોતાનો સૌભાગ્ય માને છે. આ સાધુઓની મસ્તફકીરી અને તેમનો મિજાજ પણ દર્શનીય હોય છે.
આ મેળામાં એક સાધુને પૂછ્યું કે, મહારાજજી આટલી લાંબી જટા કેમ વધારો છો ? ત્યારે તેમણે પોતાની મસ્તીમાં જવાબ આપ્યો કે, હમ કહા બઢા રહે હૈ, વો કુદરતી અપને આપ બઢતી હૈ. આ જવાબમાં એક માર્મિકતાની સાથે તેમની સાધુતાના રણકો હતો. આ સાધુની સાતેક ફુટ જેટલી લાંબી જટા હતી.
બીજા જ એક એવા જોગીને પૂછ્યું કે, કેટલા વર્ષોની આ લાંબી જટા છે ? ત્યારે તેમને કહ્યું કે, યહા કોન ગિનતી કરતા હૈ, કિતને સાલ સે બઢ રહી હૈ !
આ સાધુઓની છે મસ્તફકીરી. જે ભારતની આધ્યાત્મિક વિરાસતના વાહક છે, જેઓ દુનિયા વચ્ચે રહીને દુનિયાથી અલિપ્ત કેમ રહે છે, તેની મિશાલ છે.


