Gujarat

મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન પર ઇન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરાશે

સુરત
ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસનો રિપોર્ટ આગામી ૧૪ જૂન સુધી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઓડિશા જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે રેલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ જાહેર કરાયો છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવેના તમામ સ્ટેશનો પર ચકાસણી કરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, ભેસ્તાન, મરોલી, નવસારી, વાપી, વલસાડમાં પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ ઓડિશામાં રેલ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં રેલવે વિભાગે સતર્કતાનો વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *