બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા મકાનનુ ખાતમુર્હત અને તૈયાર થયેલ મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સુરેન્દ્રસિંહ પરમારના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી હનુભાઈ બોળીયા ના નવા મકાનનું ખાતમુર્હત કરાયુ તેમજ મુન્નાભાઈ ડાભી નું તૈયાર થયેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.પ્રધાનમંત્રી આવાસ યોજનના લાભાર્થી ને મકાન મળતા ખુશી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં પાણવી ગામના તલાટી,સરપંચ સહીત ગ્રામજનો હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


