જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના બાબરતીરથ ગામ માટે અંદાજીત રૂ. ૧૪.૮૮ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન, ટી સીસ્ટમ ,નળ કનેકશન જેવા કામો હાથ ધરવામાં આવશે.
બાબરતીરથ ગામના લોકોની વસ્તી ૬૨૮ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ. ૧૪.૮૮ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન, નળ કનેક્શન સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
