Gujarat

વિશ્વ હોમિયોપેથીક દિવસે  અંબાજી ખાતે હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો

*મોટી સંખ્યામા ગામજનો અને યાત્રિકોએ સેવા કેમ્પનો લાભ લીધો*
વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિતે વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે અને હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરના શક્તિ દ્વાર પર હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં હતું અંબાજી મંદિરના શક્તિ દ્વારા પાસે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે હોમિયોપેથિક નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 એપ્રિલ સોમવારે સવારે 9 થી 1:00 વાગ્યા સુધી આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા પાલનપુર દ્વારા હોમિયોપેથીક નિદાન સારવાર કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવા આપનાર મેડિકલ ઓફિસર દાંતા, મેડિકલ ઓફિસર વડગામ, મેડિકલ ઓફિસર પાલનપુર ,મેડિકલ ઓફિસર ડીસા, સહ ભાગીદાર થયા હતા. આ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં લોકોને હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિનો સંપૂર્ણપણે માહિતીકાર કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે લોકોને નિશુલ્ક સારવાર પણ આપવામાં આવી હતી .અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળ યોજનાર હોમિયોપેથીક નિદાન સારવાર કેમ માં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230410_205013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *