Gujarat

શંખેશ્વરમાં ખેડૂતે વ્યાજે લીધેલા ૮૬ લાખ પરત આપી દીધા હોવા છતા ૨૫ લાખના વ્યાજની માગણી કરાતી હોવાની ખેડૂતે ફરિયાદ નોંધાવી

પાટણ
શંખેશ્વર તાલુકાનાં ઓરુમણા ગામનાં ખેડૂતે ૨૦૨૦ની સાલમાં પોતાનો ઘરકામ માટે રુપિયાની જરુર પડતાં રૂા. ૮૬ લાખ જેવી માતબર રક્રમ જમીનનો ગીરો ખત કરીને એક વર્ષ માટે લીધી હતી. જે ખેડૂતે તેમનાં લેણદારને રોકડમાં ચુકવી આપી હતી તેમ છતાં આ લેણદાર અને અન્ય બે મહિલાઓએ વ્યાજ ન ચૂકવો તો ઈજ્જત સાથે છેડછાડ કરી તેવા કેસ કરવાની ધમકીઓ આપી વ્યાજનાં રુપિયાની માંગણી કરી અવારનવાર ઉઘરાણી કરી ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ આ ખેડૂતે નોંધાવી હતી. પોલીસે આ અંગે મહિલાઓ સહિત ત્રણ સામે આઇ.પી.સી. ૩૮૭, ૫૦૬(૨) તથા ગુજરાત નાણાંની ધીરનાર કરનારા અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં સોહમણાનાં ખેડૂત હરીભાઇએ તા. ૩૧-૧-૨૦૨૦નાં રોજ સમીનાં એક ગામનાં શિવાભાઈ નામની વ્યક્તિ પાસેથી ઘરકામ માટે રૂા. ૮૬ લાખની રકમ જમીનનો ગીરોખત કરીને લીધી હતી.તે સમયે તેમણે કોરા ચેકો પણ શિવાભાઇને આપ્યા હતા ને પાકતી મુદતે ખેડૂતે રૂા.૮૬ લાખની રકમ રોકડમાં પરત કરી હતી. છતાં તેમણે ખેડૂત હરિભાઇ સામે શિવાભાઇએ સમી કોર્ટમાં આ પૈસા પરત આપેલ નથી તેવો કેસ કરેલો. જે હાલમાં ચાલી રહ્યો છે. ખેડૂત હરિભાઇએ તેમનાં ચેકો પાછા માંગતા તેમણે આપ્યા નથી. ને ઉછીની રકમનું રૂા.૨૫ લાખનાં વ્યાજની માંગણી કરી હતી તથા મુડી જમા કરાવ્યાનાં દસ્તાવેજાે આપતાં નહોતા. અને તેમને હેરાન કરતા હોવાનો તથા બે મહિલાઓએ પાટણ સેસન્સ કોર્ટમાં કેસ કરેલ હોવાનો તથા તેમને ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *