સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા મનોરોગી બહેનો માટેનો આશ્રમ એટલે કે માનવમંદિર આશ્રમ રાષ્ટ્રભાવનાને વરેલા મનોરોગી આશ્રમમાં રાષ્ટ્રીય તહેવારની જ કરાય છે ઉજવણી…મનોરોગી બહેનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિનની કરી ઉજવણી…મનોરોગી આશ્રમના ભક્તિરામબાપુએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે માનવમંદિર આશ્રમમાં સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની આ બંને પર્વની જ ઉજવણી કરવામાં આવે છે. આમ માનવમંદિર એ રાષ્ટ્ર ધર્મને વરેલો માનવતા જેના કેન્દ્રબિંદુમાં છે અહીં નાત જાત, ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. કેવળ રાષ્ટ્ર ધર્મ અને માનવતાના સિધ્ધાંતો જ અહીં સર્વોપરી છે.


