સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી દાદા ભગવાન આયોજિત પ. પૂ. આત્મજ્ઞાની પૂ. દીપકભાઈના સાંનિધ્યમાં અહીં આંખની હોસ્પિટલ ખાતે ભવ્ય કાર્યક્રમમાં ગઈકાલે જ્ઞાનવિધિ કાર્યક્રમમાં દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા હતાં. પ્રસ્તુત તસવીરમાં ચલાલાથી પધારેલ મિતેશભાઈ ભટ્ટ સાથે તેમના ગ્રુપ દ્વારા પણ આ જ્ઞાનવિધિ કાર્યક્રમનો ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ભાવપૂર્ણ માહોલમાં ભાગ લીધો હતો. આમ સાવરકુંડલા શહેરમાં હાલ સત્સંગનો માહોલ જોવા મળ્યો હતો.


