દાહોદ
સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જાેડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના થયા છે. દાહોદ જિલ્લામાંથી મહારેલીમાં જાેડાવા માટે ૩૦૦થી વધુ બસો રવાના થઈ છે. અંદાજે ૧૭ હજાર લોકો રેલીમાં જાેડાવા અમદાવાદ રવાના થયા છે. આદિવાસી સમાજની એક જ માગ છે કે ધર્માંતરણ કરેલા લોકોને જી્ના લાભની યાદીમાંથી દૂર કરવામાં આવે. અમદાવાદ ખાતે રેલી યોજવા જઈ રહી છે. જેમાં દાહોદથી કેટલાક લોકો જાેડાવાના છે. જનજાતિ સમુદાયના લોકોએ કહ્યું કે, ધર્મ બદલે છે તેમના માટે જઈ રહ્યા છીએ. બહારથી આવેલા લોકો જી્ના લાભ લઈ રહ્યા છે તેના વિરોધમાં આ સભા યોજાવા જઈ રહી હોવાનું જણાવ્યુ હતું. ધર્માંતરણ કરીને જી્ના લાભ જે લોકો લઈ રહ્યા છે. તેવાં લોકોને કારણે આદિવાસી લોકોને લાભ નહીં મળી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.


