તકરીર સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું થયું આયોજન…..
વંથલી સોરઠના શહેનશાહ અને હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતીક એવા હઝરત શીરાઝી શાહ પીર નો ઉર્ષ સાનો સોકતથી ઉજવવામાં આવેલ હતો, ગઈકાલ રાત્રિના દરગાહ શરીફને ગુસલ વિધિ કરવામાં આવેલ હતી. જ્યારે આજે ધાર્મિક મહાનુભાવો ની ઉપસ્થિતિ માં શાનદાર તકરીર નો રૂહાની કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આજે ઉર્સ નિમિત્તે હજારો હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા દરગાહ શરીફ ના દિદાર કરી ન્યાઝ નો લાભ લીધેલ હતો.મીની મેળા નો લ્હાવો લેવા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


