તામિલનાડુ રાજ્યના ત્રીચલ્લાપલ્લીના નિવાસી ટી.ચીન્નારાજે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ખૂબ જ સરસ આયોજન છે. તામિલનાડુ થી દુર અમને અહીં પોતાના પણું જ લાગે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ સંગમ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, પ્રવાસન, રેલવે સહિતના વિભાગોનું સુંદર આયોજન છે.


