સૌરાષ્ટ્ર-તમિલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ચેન્નાઈથી આવેલા કુ. પી.આનિતા જોય કહે છે કે, અમારૂ ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાક દિવસથી ઘરથી નીકળ્યા છીએ પરંતુ ઘરથી દૂર હોય તેવો ભાવ જાગ્યો નથી. અહીંયા એક પરિવારનો હિસ્સો હોય તેવું અનુભવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમથી દેશના જુદા-જુદા કલ્ચર અને પરંપરાને જોડવાનું કામ કરી રહ્યા છે. જેથી દેશના બધા રાજ્યોમાં લોકો વચ્ચે એક ભાઈચારાનું વાતાવરણ નિર્માણ થયું છે.
