જામનગર હાલારી ભાનુશાળી જ્ઞાતિજનો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા.૧૯-૨ રવિવારના રોજ વેજુમાં વાડી પવન ચક્કી ખાતે રાખવામાં આવ્યું છે.
આગામી રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમ્યાન વેજુમાં વાડી પવન ચક્કી ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ડો. દીપ્તીબેન ફલીયા (સ્ત્રી રોગ નિષ્ણાંત),ડો.સૂચીબેન શાહ ફુલીયા (આંખના સર્જન),ડો.નિરાલીબેન ફુલીયા (દાંતના નિષ્ણાંત),ડો.મયુરીબેન કનખરા ( દાંતના નિષ્ણાંત) સેવાઓ આપશે. તેમ પ્રમુખ કીરીટભાઇ ભદ્રાની યાદીમાં જણાવાયું છે.
તંત્રી શ્રી
પ્રતિનિધિ શ્રી
ઉક્ત પ્રેસ નોટ આપના સુપ્રસિદ્ધ દૈનિકમાં પ્રસિદ્ધ કરવા વિનંતી..
