Gujarat

હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર ચાલતી નોનવેજની દુકાનો ને સીલ કરવામાં આવી

(હિંમતનગર)
હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં ગેરકાયદેસર મટનની દુકાનોને નગરપાલિકાએ સીલ મારી દીધા છે પાલિકાએ બે દિવસ અગાઉ નોટિસ આપીને સંતોષ માણ્યો હતો પરંતુ હાઇકોર્ટના આદેશને કારણે પાલિકાએ સાત જેટલી ગેરકાયદેસર ચાલતી નોનવેજ ની દુકાનોને સીલ મારી દીધા હતા જેમાં છ દુકાનો છાપરીયા વિસ્તાર અને એક દુકાન મોતીપુરા વિસ્તારમાં આવેલી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાએ ગેરકાયદેસર ચાલતી આ દુકાનોને સીલ મારી દીધા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આપેલ લિસ્ટ પ્રમાણે પાલિકા એ કાર્યવાહી હાથ ધરી હતી જાેકે છાપરીયા વિસ્તારમાં મોટાભાગના હિન્દુઓ પણ રહે છે છેલ્લે જે હોય તે પરંતુ લોક મુખ્ય એવી ચર્ચા થઈ રહી છે કે હાઇકોર્ટના આદેશ બાદ જ આ દુકાનોને સીલ કરવામાં આવી છે તે નવાઈ ની વાત લાગે છે શું ચૂંટાયેલા વોર્ડના સભ્યોને ખબર નહીં હોય કે પછી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *