સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે પૂત્ર-પત્નીની કે કોઇ કર્મ કમાણી ઉપર આશા ના રાખો,રમતા રામનો ભરોસો રાખો કેમકે આ જગતનો કોઇ વિશ્વાસ નથી.સદગુરૂ પરમાત્મા ઉપર આશા રાખો કે જેનો કણ કણમાં વાસ છે.પ્રભુને દરેક ઘટની અંદર સમજીને સૌ માનવ સાથે પ્રેમ કરો. પ્રભુને દરેક ઘટની અંદર સમજીને દરેકનો આદર અને સત્કાર કરો.એક પ્રભુ પરમાત્માના ગુણગાન કરો અને તેમનો જ આધાર રાખો.
પરબ્રહ્મ ૫રમાત્મા સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત હોવા છતાં સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દ્રશ્યમાન સૃષ્ટિ માયા છે જે પરીવર્તનશીલ છે,સમાપ્ત થનાર છે.આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્ત થતાં ૫ણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર ૫રબ્રહ્મ પરમાત્મા છે.૫રમાત્મા નિરાકાર હોવા છતાં અનુભુતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.
સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કે સાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.(અવતારવાણી-૨)
નિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં વ્યાપ્ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્ટિની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્ટિનો માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી.એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં છુપાયેલા છે.સર્વવ્યા૫ક,તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ પ્રાણીઓમાં નિવાસ છે.તે સાક્ષી ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્દષ્ટિથી ભિન્ન ભિન્ન પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે.(અવતારવાણી-૩૦૭)
ઘણા લોકો કહે છે કે પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી પરંતુ આ વાત ઉચિત નથી. જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે,જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્ત થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે.શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે,તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્તિ પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુ વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. આનાથી સિધ્ધ થાય છે કે ભક્તિનો આધાર સ્થંભ સદગુરૂ જ છે.
જ્યારે પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત (સદગુરૂ) દ્વારા નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મની અનુભૂતિ (દર્શન) કરાવવામાં આવે છે અને તે જ બ્રહ્મનાં ધરતી અને ગગનની વચ્ચે અંતરીક્ષમાં દર્શન થાય છે તો તે જ્ઞાન કહેવામાં આવે છે પરંતુ જ્યારે કણ કણમાં એટલે કે તમામ સાકાર જડ-ચેતનમાં ૫ણ પ્રભુ ૫રમાત્માનાં દર્શન થવા લાગે છે તો તે વિજ્ઞાન કહેવાય છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


