Gujarat

૬૩ મા ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા ર્જીં્‌્‌ર્ં (જીંટ્ઠંી ર્ંખ્તિટ્ઠહ છહઙ્ઘ ્‌ૈજજેી ્‌ટ્ઠિહજॅઙ્મટ્ઠહં ર્ંખ્તિટ્ઠહૈડટ્ઠંર્ૈહ) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં ૧૦ અંગદાન થયા છે. આ ૧૦ અંગદાતાઓના અંગદાનથી ૨૭ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાત સ્થાપનાના ૬૩મા વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઇતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ ર્જીં્‌્‌ર્ં ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ ૨૭ દર્દીઓને નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા ૨૭ અંગોમાં ૧૬ કિડની, ૯ લીવર, ૧ હ્રદય, ૧ આંતરડુ અને હાથની એક જાેડનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૦ કિડની અને ૬ લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.આ ૧૦ અંગદાનમાંથી ૯ અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હોવાનું ડૉ.મોદીએ ઉમેર્યુ હતુ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિધ્ધી અંગે કહ્યું હતુ કે, તાજેતરમાં જ સિવિલ સર્વીસીસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના ર્જીં્‌્‌ર્ં એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પ્રાપ્ત થયાના ૧૦ દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે જેની આ ઐતિહાસિક સિદ્ધિ સાક્ષી પુરે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે જ આ સિધ્ધી હાંસલ થઇ છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *