Gujarat

રાજકોટમાં ૩૬ વર્ષીય પિરણીતાનું તેના જન્મ દિવસે જ હાર્ટએટેકથી મોત

રાજકોટ
રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. ૩૬ વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. રાજકોટમાં આજે ફરી હાર્ટએટેકથી મોતનો કિસ્સો બન્યો છે. જાણીતા ડીજે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન ઘરમાં રોટલી બનાવતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો ૩૬ મો જન્મદિવસ હતો, ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતું જન્મદિને જ તેમનું મૃત્યુ થતા રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. નિશિતાબેનના મોતથી તેમની બે માસુમ દીકરીઓએ માતાનો સાયો ગુમાવ્યો છે. પરંતું રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના વધતા કિસ્સા ચિંતા જગાવી રહ્યાં છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *