હાર્દિક કાનાબાર
પ્રાચી તીર્થ…
પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગત કાલ થીજ મેઘો મંડાતા રોડ રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી દોડતા થયા હતા તેમજ ગીર પંથક માં પણ ભારે વરસાદ થી પ્રાચી થી પસાર થતી સરસ્વતી નદી માં ઘોડા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી સરસ્વતી નદી માં ભારે પુર આવતા માધવરાયજી મંદિર સંપૂર્ણ પાણી માં જળમગ્ન થયું હતું તેમજ મોક્ષ પીપળા સુધી સરસ્વતી નદી નું પાણી ફરી વળ્યું હતું તેમજ નીચાણવાળા રહેણાંક વિસ્તારો માં ગોઠણડૂબ પાણી ભરાયા હતા તેમજ ભારે પાણી ના પ્રવાહ થી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા


