Delhi

૯ ધારાસભ્યોએ PMOને મણિપુરની હાલતને લઈને લખ્યો પત્ર

નવીદિલ્હી
સ્ટ્ઠહૈॅેિઃ હિંસાથી મણિપુરની હાલત નાજુક છે. બે સમુદાયો આમને સામને આવી ગઈ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ શાંતિની આશા હતી, પરંતુ સ્થિતિ ફરી વણસી રહી છે. એક તરફ લોકો હથિયાર ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, મણિપુરના મેતેઈ સમુદાયના નવ ધારાસભ્યોએ પીએમઓને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોનો મણિપુરની વર્તમાન સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મણિપુરમાં હિંસા ૩ મેના રોજ શરૂ થઈ હતી, પરંતુ તેના એક મહિના પહેલા ભાજપના ચાર ધારાસભ્યોએ તેમના પદ છોડી દીધા હતા. જાે કે તત્કાલીન સીએમ બિરેન સિંહે કહ્યું હતું કે દરેકની પોતાની સમસ્યાઓ છે, તેથી જ તેમણે પદ છોડ્યું છે. બાકી સરકારમાં કોઈ સમસ્યા નથી. હવે, મેમોરેન્ડમ સબમિટ કરનારા નવ ધારાસભ્યોમાંથી, ચાર ધારાસભ્યો એવા છે જેમણે અગાઉ તેમના વહીવટી અને સલાહકાર પદો પરથી રાજીનામું આપ્યું હતું. હવે મણિપુરના સીએમ બિરેન સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આ બધું તે જ દિવસે બન્યું જ્યારે ૩૦ મેઇતી ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ, નિશિકાંત સિંહને મળ્યું. મણિપુર હિંસામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં ભારે જાનહાનિ થઈ રહી છે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ સુધારો દેખાતો નથી. જે નવ ધારાસભ્યોએ પીએમઓને મેમોરેન્ડમ સુપરત કર્યું છે તેઓએ લખ્યું છે કે તેઓ વર્તમાન સરકારમાંથી સંપૂર્ણ રીતે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. આ હિંસાની અસર એ થઈ છે કે જે હાથમાં પહેલા પુસ્તક અને પેન હતી તે હાથમાં હવે બંદૂકો, દૂરબીન, ગોળીઓ અને ખતરનાક હથિયારો છે. કુકી અને મેતેઈ બંને તેમના લોકોની સલામતી માટે શસ્ત્રો લઈને બંકરમાં પ્રવેશ્યા છે. તેમના બંકરમાં રાઇફલ્સ, ઇન્ટરકોમ અને દૂરબીન છે. આમાંના ઘણા લોકો હિંસા પહેલા નોકરીમાં હતા. શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ઘણા યુવાનો સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત હતા. મણિપુરના લોકોને ખાતરી આપવામાં આવી છે કે રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા દળો તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે, પરંતુ હવે તેમનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એટલા માટે આ લોકોએ પોતાના રક્ષણ માટે હથિયાર ઉપાડી રહ્યા છે. હિંસા ૩ મેના રોજ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ૪૫ થી વધુ દિવસ વીતી ગયા. લગભગ ૨૦૦૦ ઘરો અને દુકાનો બળી ગઈ છે. ભારતીય સેના, આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને મણિપુર પોલીસની ઘણી કંપનીઓ અહીં શાંતિ સ્થાપવા માટે તૈનાત છે. આમ છતાં અહીં હિંસા થઈ રહી છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *