Gujarat

મેઘપર ગામમાં સાત વર્ષની બાળકી પર ૩૨ વર્ષના એક નરાધમે દુષ્કર્મ આચર્યું

જામનગર
જાેડીયાના એક ગામમાં યુવાને સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે બાળકીએ તેના પિતાને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે બાદ બાળકીના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસને ફરીયાદ મળતા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જાેડિયા તાલુકાના મેઘપર ગામમાં એક યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો હતો. સાત વર્ષની બાળકી પર ગામના જ ૩૨ વર્ષના એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના એવા સમયે બની જયારે બાળકીના પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હતા અને બાળકી એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઇ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમની હેવાનિયતને કારણે બાળકીને ઈજા પહોંચી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *