મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધા ખાતે તાજેતરમાં IKS Cell અંતર્ગત સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનાર મહેમાનશ્રીઓનું શાબ્દિક – પુષ્પગુચ્છથી સ્વાગત કોલેજના આચાર્ય ડો.કે.એસ.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈલેષભાઈ મોદી, વનિતાબેન મોદી, પરેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, પ્રીતિબહેન દવે તથા ડો.મહેશભાઈ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાન-યોગથી પ્રાયોગિક તાલીમ તથા સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત સાધકો દ્વારા શરીર-મન- અધ્યાત્મનો વિજ્ઞાન સાધેનો સંબંધ ક્યાં-કેવો રહ્યો છે તે બાબતે ગંભીરતાપૂર્વક વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને ધ્યાનની માનવજીવનમાં ઉપયોગિતા પર વિગતે વાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર ડો.મહેશભાઈ.જી.પટેલે પણ અધ્યાત્મ અને વિજ્ઞાનના પોતાના યોગ-ધ્યાનના અનુભવોને રજૂ કરી વાતની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.બી.જી.પટેલ અને આભારવિધિ પ્રા.આર.જે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
મકસુદ કારીગર,કઠલાલ

