બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે સ્વ.જતીનભાઈ શેઠ પરીવાર દ્વારા વિનામુલ્યે નેત્રમણિ-નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં ૧૦૯ દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યુ હતુ તેમાંથી ૨૮ દર્દીઓએ મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા આ તમામ ૨૮ દર્દીઓને રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે મોતીયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.મુકુંદભાઈ વઢવાણા,નરેન્દ્રભાઈ દવે,ડો.સુમન પુજારા,રાજેશભાઈ નારેચણીયા,શૈફુદીનભાઈ સહીતના આગેવાનોએ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


