આગામી દિવસમાં મહોરમના તહેવાર ને લઈને બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયાની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે PSI એસ.જી.સરવૈયા ની આગેવાની માં શાંતિ સમિતીની મિટીંગ યોજાઈ હતી.જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કાંકરીયા ચોરા,આંબલીયા ચોરા અને દેસાઈ વ્હોરાના ચોરા ના તાજીયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.આ શાંતિ સમિતીની મિટીંગ માં મહોરમ ના તહેવારની ઉજવણી શાંતિપૂણ રીતે થાય તેવુ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા એ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને તાજીયા કમિટીના સભ્યો ને જણાવ્યુ હતુ…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


