Gujarat

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે યોજાયેલ દિલ્હી ખાતેનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ શાળામાં રસપૂર્વક નિહાળ્યું

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય (માધ્યમિક વિભાગ) ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે આજે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો શાળાના કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે પ્રસારિત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આમ તો આજે મહોરમનું પવિત્ર પર્વ હોઈ વિદ્યાર્થીઓ પણ રજાના મૂડમાં હોય વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.. એકંદરે આ  નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે યોજાયેલ આ લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ ધ્યાનથી નિહાળ્યો હતું એમ શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસે જણાવ્યું હતું.

IMG-20230729-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *