અમરેલી જિલ્લા પોલીસ વડા ને જાહેર જનતા મળી રૂબરૂ ફરિયાદ કરી શકશે સોમવારે અને શુક્રવારે જીલ્લાની જનતા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી શકશે
અમરેલી જિલ્લાના લોકોની પરવાહ કરતા જિલ્લા પોલીસ વડા લોકોને વિશ્વાસમાં લઈ સાથે રાખી કામ કરે છે
થોડા સમય પહેલા વ્યજાંકવાદીઓ ના ચક્રમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢવા માટે પણ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને લોકોને સાથે રાખી ગામડે ગામડે લોક દરબાર યોજ્યા હતા તેવીજ રીતે દારૂ માટે પણ જુંબેશ ઉપાડી હતી આવીજ રીતે હંમેશા લોકોની કાળજી રાખતા આજે ફરી એકવાર જનતાની તકલીફો જાણવા માટે પોલીસ અધિક્ષક ને રૂબરૂ મળી પોલીસ ખાતાને લાગતા કોઈ પણ પ્રશ્નો કે ફરિયાદ હોય તો દરેક શુક્રવાર અને સોમવારે (રજાના દિવસો સિવાય) કચેરી ના સમય દરમિયાન રૂબરૂ મળી શકે છે જેની અમરેલી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે આ પ્રયોગ થી લોકો અને પોલીસનો સંબંધ વધુ મજબૂત બનશે અને જિલ્લામાં થતી ગુનાહિત પ્રવૃત્તિ ઘણી બધી હદે અટકાવી શકાશે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


