મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણામાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વાલીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી અને તા 19 મી ઓગસ્ટ 2023 ને શનિવારના રોજ વાલી મીટીંગ નું આયોજન કર્યું હતું જેમાં ધોરણ 10 અને 12 ના મળીને કુલ 81 વાલીઓ હાજર રહ્યા હતા . જેમાં વર્ગ શિક્ષકો, શાળાના આચાર્ય , કે.મ.ના પ્રમુખ તથા વિષય શિક્ષકોએ વ્યક્તિગત દરેક વિદ્યાર્થીના વાલીને તેમના પાલ્યનો પ્રોગ્રેસ રિપોર્ટ અને કમીઓ બતાવીને તેમની કમીઓ દૂર કરી બોર્ડમાં જ્વલન્ત પરિણામ લાવે તેના માટેની ગુરુ ચાવી બતાવી હતી . સાથે વાલીઓને તેમના પાલ્યના શિક્ષણમાં પૂરતું ધ્યાન આપવું, વિદ્યાર્થી નિયમિત શાળામાં મોકલે, વિદ્યાર્થીને આપવામાં આવતું ગૃહકાર્ય દરરોજ વાલી તપાસે અને લેસન ડાયરીમાં નોંધ કરે જેવી સૂચનાઓ આપી હતી.
મીટીંગના અંતે કેળવણી મંડળ તરફથી સર્વ આવેલા વાલીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉ. મા. વિભાગના મ . શિક્ષક પ્રશાંત ક્રિશ્ચિયને સર્વ શિક્ષક મિત્રોની મદદથી કર્યું હતું.


