ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં છોટાઉદેપુર વિધાનસભાની “અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે યોજવામાં આવી હતી, આ કાર્યક્રમમાં વિધાનસભાના વિસ્તારક એડવોટેક રાકેશભાઈ પરમાર,લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા,મેહુલભાઈ પટેલ સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


