Gujarat

સાવરકુંડલાના જાગૃત યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને કરેલી લેખિત રજૂઆતનો મળેલો હકારાત્મક પ્રતિસાદ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હાલના ચોમાસાના વાદળિયા વાતાવરણ અને વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ અંકુશમાં રહે તે માટે પાલિકા દ્વારા ફોગીંગ મશીનથી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી. લોકોને પણ થોડી રાહત મળી.
એક જાગૃત યુવા પત્રકારની શહેરીજનોના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો.
———————————————————————
સાવરકુંડલાના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને હાલ ચોમાસાની ઋતુ હોય સતત વાદળિયું વાતાવરણ હોય વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત હોય એ સંદર્ભમાં સમગ્ર શહેરમાં નગરપાલિકા દ્વારા હેલ્થ સેનિટેશન કામગીરી જેવી કે ડીડીટી છંટકાવ અને ફોગીંગ મશીનથી કામગીરી હાથ ધરાવા લેખિત ધારદાર રજૂઆત કરી હતી જેનાં અનુસંધાને આ રજૂઆતને સફળતા મળતાં લોકોનાં સુસ્વાસથ્ય જળવાઈ રહે તે ઉદ્દેશથી હાલ સાવરકુંડલા શહેરમાં ફોગીંગ મશીનથી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ એક જાગૃત પત્રકારે શહેરનાં સ્વાસ્થ્ય સંબંધી ચિંતા વ્યક્ત કરતાં નગરપાલિકા દ્વારા તેનો સકારાત્મક પ્રતિસાદ મળતાં લોકોને પણ થોડી રાહત મળી છે.

IMG-20230726-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *