Delhi

રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટ, એકનું મોત, ૪૦થી વધુ લોકો ઘાયલ

નવીદિલ્હી
રોમાનિયાથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા. રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. ફાયર બ્રિગેડની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે આગની આ ઘટના ક્રેવેડિયા, રોમાનિયામાં બની છે. આઈજીએસયુ (સરકારી ઈમરજન્સી યુનિટ)ના જણાવ્યા અનુસાર, પ્રથમ વિસ્ફોટ બાદ આગ બે ટેન્ક અને નજીકના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ઈવેક્યુએશન ૩૦૦ મીટરની ત્રિજ્યામાં થયું હતું અને રસ્તો બ્લોક થઈ ગયો હતો.
તે જ સમયે, ૈંય્જીેં પ્રભારી રાયદ અરાફાતે જણાવ્યું હતું કે શનિવારે સાંજે ન્ઁય્ સ્ટેશન પર બીજાે વિસ્ફોટ થયો હતો, જેમાં ૨૬ અગ્નિશામકો ઘાયલ થયા હતા. તમામને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૈંય્જીેં પ્રભારી રાયદ અરાફાતે જણાવ્યું હતું કે આગ હજુ ઓલવાઈ નથી. તેમણે કહ્યું કે ત્રીજાે વિસ્ફોટ થઈ શકે છે કારણ કે ત્રીજી ટાંકી ખતરો બની શકે છે. આગ એટલી ભીષણ હતી કે જ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી હતી. ધુમાડાના વાદળ આકાશમાં ફેલાઈ ગયા. આકાશ સાવ કાળું દેખાઈ રહ્યું છે. ફાયર વિભાગની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. અનેક લોકોની તબિયત હાલ નાજુક છે. આગની આ ઘટના બાદ વડાપ્રધાન માર્સેલ સિઓલાકુએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા સાથે વાત કરતા પીએમએ કહ્યું કે ચારથી વધુ દર્દીઓને ઈટલી અને બેલ્જિયમની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Page-08-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *