Gujarat

પાલનપુરમાં ૫૦ વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર તોડી પડાતા રોષ

બનાસકાંઠા
બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરમાં હનુમાનજીનું મંદિર તોડી પડાતા ભક્તોની આસ્થાને આંચ પહોંચી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ ૫૦ વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર દુકાનદારે તોડી પાડતાં ભક્તોમાં રોષ જાેવા મળ્યો છે. સ્થાનિકો અહીંયા વર્ષોથી પૂજા-અર્ચના કરતા હતા. ત્યારે દુકાનદારે રાતોરાત મંદિર તોડી રસ્તો બનાવી લેતાં લોકો રોષે ભરાયા છે. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ હનુમાનજીનું મંદિર ૫૦ વર્ષ જૂનું છે. આ મંદિરે લોકો વર્ષોથી પૂજા અર્ચના કરતા આવ્યા છે. ત્યારે એક દુકાનદારે રસ્તો બનાવવા માટે આ મંદિર તોડી પાડતા લોકોએ રોષે ભરાયા હતા. બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Page-22-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *