જૂનાગઢ ના ભેસાણ ની બરવાળા કોલેજે એસ.ટી.બસઊભી ના રાખતા અને ભેસાણ એસ.ટી.બસ્ટન્ડ માં પીવા ના પાણી ની વ્યવસ્થા ન હોય જેને લઇ ABVP દ્વારા આવેદનપત્ર અપાયું.
જૂનાગઢ ના ભેસાણ બરવાળા કોલેજે બસ ઉભી ના રાખતા તેમજ બસ્ટેશન મા પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા માટે ABVP દ્વારા આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી આપવામા આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી તેમજ સમાજ હીત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. ત્યારે ભેસાણમા બસ તેમજ બસ સ્ટેશન ને લઈને ઘણા પ્રશ્ર્નો હોવથી ABVP દ્વારા પહેલા પણ ઘણા આવેદનપત્ર આપ્યા હતા. તેમજ બસ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભેસાણ તાલુકા ની બરવાળા કોલજે બસ સ્ટેશન હોવા છતાં બસ ઉભી રાખવામાં આવતી નથી અને વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો અને ગ્રામજનો ને અવાર નવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેમજ બસ ની સુવિધા થી વંચીત રહી જાય છે.. સાથે ભેસાણ બસ સ્ટેશન મા કાયમી માટે પીવાના પાણીની વ્યવસ્થા ના હોય અને કામ ચલાઉ પાણી ની બૉટલો છેલ્લા 1 મહિના થી મુકેલ હોય અને ફ્રિજર બંધ હાલતમા 1 વર્ષ થી હોય તેમજ સાંજે 5 વાગ્યાં પછી પીવાના પાણીની વ્યવસ્થા ના હોય તેના કારણે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો ને અગવડતા પડતી હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભેસાણ દ્વારા બરવાળા કોલેજ ઉપર બસ ઉભી રાખવા તેમજ પાણી ના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપી ને માંગ કરવામાં આવી છે. ઉપરોક્ત પ્રશ્નનું નિરાકરણ જો દિવસ સાતમા કરવામાં નહીં આવે તો ABVP ભેસાણ દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીABVP ના કાર્યકર્તા સાગર વઘાસિયા તેમજ જેનીશ ભાયાણી સહિત ના કાર્યકરો બસ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી.. રિપોર્ટ… કાસમ હોથી.. ભેસાણ



