Gujarat

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા અષાઢી બીજ ની જગન્નાથજી ની રથયાત્રા ને પરંપરા મુજબ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવેલ આ અષાઢી બીજ ની અમદાવાદ ની પ્રથમ નંબર ની રથયાત્રા ને મુખ્ય મંત્રીશ્રી પ્રસ્થાન કરાવે છે તેમજ બીજા નંબર ની ભાવનગર ની રથયાત્રા ભાવનગર રાજવી પરિવાર ના યુવરાજ સાહેબ પ્રસ્થાન કરાવે છે  તેમ જ આ બોટાદ ની,૩ ,જા નંબર ની રથયાત્રા ને સામતભાઈ જેબલીયા પ્રસ્થાન કરાવેછે તે સમગ્ર કાઠી દરબાર સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય આ રથયાત્રા મા અનેક સંતો મહંતો અને અનેક મહાનુભાવો અને ભક્ત જનો ઉપસ્થિત રહેલ આ રથયાત્રા સામતભાઈ જેબલીયા ના નિવાસસ્થાને પહોચતા સામતભાઈ જેબલીયા દ્વારા જગન્નાથજી તથા સંતો મહંતો નુ ફુલહાર થી સ્વાગત કરેલ ત્યારે તેમની સાથે ઈસ્લામિક ધર્મ ના વડા હબીબભાઈ જાંગડે પણ સંતો મહંતો નુ સ્વાગત કરેલ આ રથયાત્રા મા ઉપસ્થિત દરેક ભક્તો ને સામતભાઈ જેબલીયા દ્વારા  ઠંડું દુધ કોલડ્રિંક્સ સરબત પાઈ અંતરના આશીર્વાદ મેળવેલ આ રથયાત્રા બોટાદ ના રાજમાર્ગ ઉપર ફરે છે ત્યારે અઢારેય વરણના મહાનુભાવો ભક્તો સન્માન કરે છે તેમજ ઈસ્લામિક ધર્મ ના આગેવાનો પણ રથયાત્રા નુ સ્વાગત કરી ઠંડું સરબત પાઈ છે અને કોમી એકતા દર્શન કરાવે છે અને આ રથયાત્રા પરત ગિરનારી આશ્રમ ખાતે પહોચતા ધર્મ સભામા ફેરવાય છે અને દરેક ભક્ત જનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230620-WA02381.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *