Gujarat

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે જામનગર જિલ્લાની મુલાકાતે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ આવતીકાલે જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી આવતીકાલે તા.02 સપ્ટેમ્બરના રોજ સવારે 10:00
કલાકે ધ્રોલ લોહાણા મહાજન વાડી, જોડીયા રોડ ખાતે ધ્રોલ તાલુકા અને શહેરના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટ
વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓશ્રી 11:30 કલાકે વોર્ડ નં.6, નીલકંઠ સોસાયટી ખાતે જામનગર મહાનગરપાલિકા સંચાલિત નવા સીટી બસ
રૂટના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

-કોલેજ-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *