Gujarat

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતની ય્૨૦ પ્રેસિડેન્?સી અન્?વયે ેં૨૦ મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે ય્૨૦ સમિટ અંતર્ગત ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ેં૨૦ મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત દર્શાવ્યો કે વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્?ટ અને ફ્યુચર ચેલેન્?જીસના સોલ્યુશન્?સ માટે ેં૨૦ સક્ષમ પ્લેટફોર્મ બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, આ ેં૨૦ દ્વારા વર્લ્ડ લીડર્સ અને મેયર્સ એક મંચ પર આવ્યા છે. રેપીડ અર્બનાઈઝેશનના આ યુગમાં શહેરોને ઈકોનોમિક ડેવલપમેન્?ટના અવસર જ નહિ, પોતાના દેશો માટે સોશિયો-ઈકોનોમિક અને ઈકોનોમિક સેન્?ટર બનાવવાનાં અવસરો અંગેનાં વિચારોનું આદાન-પ્રદાન તેઓ કરવાનાં છે.
મુખ્યમંત્રીએ ગ્લોબલ લીડર અને યશસ્વી વડાપ્રધાન નરેન્?દ્ર મોદીનાં સફળ પ્રયાસોથી ભારતને ય્૨૦ પ્રેસીડેન્?સી મળી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, વસુધૈવ કુટુંબકમ-એક પૃથ્વી-એક વિશ્વ-એક પરિવારની ભાવના સાથે આયોજિત આ ેં૨૦ સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્?ટનાં કોમન એજન્?ડા માટે સૌને સાથે જાેડતી સમિટ છે. એક ગ્લોબલ કોમ્યુનિટીનાં રૂપમાં આપણી સામે આવનારા સમયમાં જે ચેલેન્?જીસ-પડકારો આવશે તે અનેક પ્રકારે કોમન હશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ અંગેની વિસ્તૃત છણાવટ કરતા કહ્યું કે, વધતા જતા અર્બનાઈઝેશનને સસ્ટેઈનેબલ ડેવલપમેન્?ટ સામે ક્લાઈમેટ ચેન્?જ પબ્લિક સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનમાં થનારી સમસ્યા તથા ટ્રાફિક રીલેટેડ પ્રોબ્લેમના સમાધાનને અનુરૂપ બનાવવું હવેનાં સમયની માંગ છે. તેમણે ગુજરાત દેશનાં સૌથી વધુ અર્બનાઈઝડ રાજ્યોમાંનું એક છે તથા અર્બનાઈઝેશન ગુજરાતનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાની સિંધુ ઘાટીની સભ્યતાથી શરૂ થયો છે તેની પણ વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગુજરાતની શહેરી વિકાસ ક્ષેત્રની સફળતાની ગાથા નરેન્?દ્રભાઈ મોદીની પ્રેરણા અને વિઝનરી લીડરશીપને આભારી છે.
રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે શહેરોનાં નાગરિકોનાં ઈઝ ઓફ લિવિંગની વૃદ્ધિ માટે સિવિક એમીનીટીઝમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશા આપી છે. એમના આ વિઝનના પરિણામે જ રાજ્યનાં શહેરોમાં પબ્લિક ઈન્?ફ્રાસ્ટ્રક્ચર અને સિવિક એમિનિટીઝ ડેવલપમેન્?ટમાં ઈનોવેશન, ફ્યુચરીસ્ટીક પ્રોજેક્ટ આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં શહેરીકરણને ગ્લોબલ સ્ટાન્?ડર્ડ બનાવનારા પ્રકલ્પોની ભેટ આપેલી છે. તેમણે આ સંદર્ભમાં ગિફ્ટ સિટી, સુરત ડાયમંડ બુર્સ, ધોલેરા જીૈંઇ, સાબરમતી રિવરફ્રન્?ટનાં દૃષ્ટાંતો આપ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિશાદર્શનમાં ગુજરાતે ટોપ-ડાઉન એપ્રોચ અને પીપલ સેન્?ટ્રિક અર્બન ડેવલપમેન્?ટને પ્રોત્સાહન આપેલું છે. એટલુ જ નહિ, શહેરી વિકાસનો માસ્ટર પ્લાન ઈન્?ક્લુઝિવનેસ સાથે તૈયર કરીને સસ્ટેઈનેબલ ડેવલપમેન્?ટ દરેક પ્રોજેક્ટના કેન્?દ્રસ્થાને કોર વેલ્યુ તરીકે રાખવામાં આવે છે.
આ દ્વિદિવસીય સમિટ અર્બન એરિયામાં ક્લાઈમેટચેંજના જટિલ પ્રભાવ સામે જનજાગૃતિ ઊભી કરવા સહિત વોટર સિક્યુરિટી, ડિજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવુ, મહિલા અને બાળકોને શહેરી વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવા જેવા ગહન વિષયો પર ચર્ચા વિમર્શ હાથ ધરાવાનાં છે. મુખ્યમંત્રીએ સમિટમાં સહભાગી મેયર્સ અને સિટી લીડર્સને અનુરોધ કર્યો કે, આ બધા ક્ષેત્રોની પોતાનાં શહેરોની બેસ્ટ પ્રેક્ટીસીસનું આદાન-પ્રદાન થાય તે જરૂરી છે. તેમણે આ તકે સ્વિત્ઝર્લેન્ડના ભારત સ્થિત રાજદૂત ડૉ. રાલ્ફ હેકનરની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘‘ક્લાઈમેટ રેસિલિએન્ટ સિટી એક્શન પ્લાન ફોર અમદાવાદ’’નું વિમોચન કર્યું હતું. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિશનને સાકાર કરવા માટે સ્વીઝ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશનના સહયોગથી આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે દેશ-વિદેશથી પધારેલા પ્રતિનિધિઓને ભારતમાં આવકારતા જણાવ્યું હતું કે, ભારત પ્રાચીન હડપ્પન કાળથી જ શહેરી વિકાસમાં અગ્રેસર રહ્યું છે અને આજના મોડર્ન યુગમાં પણ ભારત તેની સસ્ટેનેબલ અને વિશેષ પહેલોથી અન્ય રાષ્ટ્રોને પ્રેરણા આપી રહ્યું છે. ભારતની ય્૨૦ અધ્યક્ષતા હેઠળ આજે યોજાઇ રહેલી અર્બન ૨૦ મેયોરલ સમિટ વિશ્વના વિકસિત શહેરોમાં થઈ રહેલી બેસ્ટ પ્રેક્ટિસીસ અને વિશેષ પહેલોના આદાન-પ્રદાન માટેનું શ્રેષ્ઠ માધ્યમ બનશે. ગુજરાતમાં આ બે દિવસ દરમિયાન યોજાઈ રહેલી ેં૨૦ સમિટમાં વિવિધ વિષયો ઉપર થયેલા વિચાર વિમર્શ આગામી સમયમાં શહેરી વિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેવો કેન્દ્રીય રાજ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ય્૨૦ના માધ્યમથી દેશના વેગવંતા વિકાસને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારતે શહેરી વિકાસ અને સસ્ટેનેબલ અર્બનાઈઝેશનની દિશામાં સૌર્ય અને નવીનીકરણ ઉર્જા, જલ સુરક્ષા, સબકો આવાસ, રી-યુઝ ઓફ વેસ્ટ વોટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી વિવિધ નીતિઓને ખૂબ જ ગતીપૂર્વક લાગુ કરી છે. આ સાથે જ ભારતે મેક ઇન ઇન્ડિયા જેવા મિશનમાં સામાન્ય જનમાનસને સાથે જાેડીને ભારતને આર્ત્મનિભર બનાવવાની દિશામાં પ્રયત્નો કર્યા છે. સ્ટેન્ડ અપ યોજના અંતર્ગત મહિલાઓને વિના ગેરંટી લોન અને સરકારી સેવાઓના ડિજિટલાઇઝેશન જેવા અનેક ઉદાહરણો ભારતે પૂરા પાડ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતુ કે, આજની આ અર્બન-૨૦ સમિટનું વિશ્વમાં વધી રહેલા અર્બનાઇઝેશન વચ્ચે લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન સુનિશ્ચિત કરવામાં તેમજ વિશ્વના શહેરોના સસ્ટનેબલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે. કેન્દ્રીય મંત્રીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં વિચાર-વિમર્શ કરવા સૌ પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.
અર્બન-૨૦ છઠ્ઠી શ્રેણીની ચેર સિટી અમદાવાદના મેયર કિરીટભાઇ પરમારે સૌનું ગુજરાતમાં સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ેં૨૦એ વિશ્વમાં વધી રહેલા શહેરીકરણ સાથે ખૂબ જ મહત્વ મેળવ્યું છે. જ્યારથી ય્૨૦ સમિટ પેરિસ કરાર સાથે જાેડાઈ ત્યારથી જ ઇકોનોમિક અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કરી, ેં૨૦ દ્વારા ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સીટી લેવલ ઇન્વેસ્ટમેન્ટ, હેલ્થ કેર જેવા અનેક મુદ્દાઓનું સંબોધન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અર્બન-૨૦ના સહયોગી સંગઠન ‘‘ઝ્ર૪૦ સિટીઝ’’ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેવિન ઓસ્ટિને ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે, શહેરોમાં મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ દ્વારા પબ્લિક એક્સેસ વધુ સરળ બની છે. તેમજ અમદાવાદ પોતાનો એડવાન્સ એક્શન પ્લાન હોય એવું પ્રથમ શહેર છે. વધુમાં તેમણે વર્ષ ૨૦૫૦ સુધીમાં મોટાભાગના શહેરો વૈશ્વિક તાપમાનમાં વધારાનો ભોગ બનવા અંગેની શક્યતાઓ દર્શાવી હતી. સંભવિત ક્લાઈમેટ ક્રાઈસીસને ધ્યાને રાખી કાર્ય કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
યુનાઈટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્‌સના સેક્રેટરી જનરલ સુશ્રી એમિલિયા સૈઝએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસને નવેસરથી સમજવાની જરૂર છે. ભવિષ્ય માટે નવા નેરેટિવ અને નવા વિઝનને પ્રોત્સાહિત કરવા માટે આપણે ગરીબ, વંચિત સામાન્ય લોકોના જીવનધોરણ સુધારવા માટે તેમજ શહેરી વિકાસમાં દાખલારૂપ બનવા વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. આ દ્વિદિવસીય અર્બન-૨૦ના શુભાંરભ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના સચિવ મનોજ જાેશી, ય્૨૦ના એડિશનલ સેક્રેટરી અભય ઠાકુર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસપલ કમિશનર એમ. થેન્નારસન સહિત અન્ય પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *