Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલ ઝીરો કેઝ્યુલિટીનો ધ્યેય સાચા અર્થમાં સાબિત કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન : મંત્રીશ્રી

જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ
પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી
શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ
સાથે રીવ્યુ બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે સમગ્ર વહીવટી
તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવી હતી તેમજ વાવાઝોડા બાદ પણ તાત્કાલિક ધોરણે કામગીરી
હાથ ધરાઈ હતી જેના પરિણામે એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. તેમ જ જોડિયા તાલુકામાં એક પણ પશુમૃત્યુ નોંધાયું નથી,
અને અન્ય કોઈ મોટી નુકસાની થઈ નથી તે બદલ હું જિલ્લા વહીવટી તંત્ર તેમજ સરકારનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું
છું. વાવાઝોડા વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રીના સતત સંપર્કમાં રહીને
પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સરકારે પહેલાથી જ સતર્કતા દાખવી પ્રભારી
સચિવ પ્રભારીમંત્રીશ્રીઓ અને કેન્દ્રના મંત્રીશ્રીઓને પણ જવાબદારી સોંપી હતી. તેમના સંકલનમાં રહીને તંત્ર દ્વારા જે
કામગીરી કરવામાં આવી તેના પરિણામે વાવાઝોડા સામે પણ આપણે લડી શક્યા છીએ.
આ બેઠકમાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી અને લાઇઝન અધિકારી શ્રી ગ્રીષ્મા પટેલે મંત્રીશ્રીને વિગતો આપતા જણાવ્યું હતું કે
જોડિયા તાલુકાના ૩૭ ગામોમાંથી દરિયાકાંઠાના ૧૨ ગામોમાં ૨૩ જેટલા શેલ્ટર હાઉસમાં ૨૧૮૪ લોકોનું સ્થળાંતર કરવામાં
આવ્યું હતું. તેમજ પીજીવીસીએલની ચાર ટીમો અને આર એન બી સ્ટેટ અને પંચાયતની બે ટીમો દ્વારા વીજ પુરવઠો પૂર્વવત
કરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. તેમજ મીઠાના પાંચ એકમોમાં રહેતા ૧૦૪ લોકોનો
સ્થળાંતર કરાયું હતું. સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જોડિયાના
આશ્રય સ્થાનોમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોડિયા તાલુકામાં કોઈ મોટી નુકસાની સર્જાઈ નથી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, મામલતદારશ્રી વીસી ડાભી, તાલુકા વિકાસ અધિકારીશ્રી
માધુરી પટેલ, પ્રાંત અધિકારીશ્રી સાકરીયા તેમજ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *