Gujarat

પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાની અટકાયત

પોરબંદર
પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપ્યા હતા અને જે ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. ઓડીયો ક્લીપ વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરતા અટકાયત કરી હતી. પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાએ રાષ્ટ્ર ધ્વજને સલામી ના આપવા અને રાષ્ટ્રગીતના કેટલાક શબ્દોને બોલવા અને વાંચવાને લઈ સલાહ આપી હતી. આમ મૌલવીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાને લઈ કાર્યવાહી કરાઈ છે. રાષ્ટ્રગીતને મુસ્લીમ વાંચી શકે કે નહીં એ અંગે સવાલનો મૌલવીએ જવાબ આપ્યો હતો. જેમાં કહ્યુ હતુ કે, રાષ્ટ્રગીતમાં જય હો જય હો.. શબ્દનો ઉપયોગ થાય છે તે એક ધાર્મિક પુસ્તકમાં લખ્યુ છે કે, આ વિધર્મીઓની રીત છે. ભારત ભાગ્ય વિધાતા.. આ બે શબ્દો વાંચવાની ના છે. આ ઉપરાંત મૌલવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપવાને લઈ મનાઈ કરી હતી. મૌલવીની સામે પોરબંદર પોલીસે કાર્યવાહી કરી છે અને મામલાની તપાસ શરુ કરી છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *