Gujarat

ભારજ નદી પરના પુલ ના પાયા બેસી જતા બોડેલી થી પાવીજેતપુર તરફ આવતો વાહન વ્યવહાર બંધ થવાના કારણે જબુગામ વિસ્તારમાં ધંધા રોજગારમાં ભારે અસર જોવા મળી

બોડેલી થી પાવીજેતપુર વચ્ચેની જે મુખ્ય હાઇવે પર ની અવરજવર બંધ થવાના કારણે હાઇવે પરના ગામો તથા પાવીજેતપુરના કેટલાક ધંધા રોજગાર વાળા ને ભારે અસરનો સામનો કરવો પડે છે લોકવાયકા એવી જોર પકડી છે કે હાઇવે પર આવેલ ધાબાઓ ના કારીગરો પણ ઘરે જતા રહ્યા છે કેમકે કારીગરોને કોઈપણ જાતની ઘરાકી ન હોવાથી ધાબા માલિક પર બોજ સમાન લાગતું હતું જેથી કરી તેઓ હાલ પૂરતા પોતાના ઘરે પરત ગયા
અને હાઇવે પર સાધનોની અવર-જવરના ઓછી થવાના કારણે જે ધંધા રોજગાર હતા તે પણ ઠપ થયા છે રોજિંદા હજારો લોકો લજગરી, તુફાન ગાડી, અન્ય બીજા પ્રાઇવેટ વાહનોમાં છોટાઉદેપુર તથા મધ્યપ્રદેશ બાજુ અને મધ્યપ્રદેશ થી વડોદરા તરફ અવર-જવર કરતા હતા જેને લઇ રોડ ઉપરના ગામોમાં રોજગારી ઊભી થતી હતી જેથી કરીને હાલ તે અવરજવર બંધ થવાથી ધંધા રોજગારમાં ભારે નુકસાની નો સામનો કરવો પડે છે
એટલે વહેલી તકે આ પુલ કામ પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230808-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *