મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, મહુધા ખાતે કોલેજમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો NCC યુનિટમાં જોડવા માટેનો એનરોલમેન્ટ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 28 ગુજરાત બટાલિયન એન.સી.સી નડિયાદ ઓફીસ થી બે એન.સી.સી ઓફિસરો હવાલદાર પવનકુમાર અને અનિલકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિધાર્થીઓને જીવન અને ધંધાકીય એન.સી.સી ઉપયોગીતા સમજાવી. નિયમ મુજબ 31 વિદ્યાર્થીઓને એનરોલ કર્યા હતા અને 04 વિદ્યાર્થીઓને રિઝર્વ મુકવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ એન.સી.સી યુનિટના કેપ્ટન ડો. કે.આર.ઓડેદરા દ્વારા હાથ ધરયો. કોલેજના કોલેજના આચાર્ય કે.એસ.દવે તથા ટાફ પરિવાર એનરોલ થયાલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.


