Gujarat

રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત

રાજકોટ
રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, જેતપુરમાં પાણિયારી શેરીમાં હીટરથી પાણી ગરમ કરતા સમયે ૧૧ વર્ષની બાળકીને કરંટ લાગતા મોત થયું હતું. જેતપુરના ભદ્રેશ્વર મંદિર પાસે પાણિયારી શેરી વિસ્તારમાં ૧૧ વર્ષની ખુશી મચ્છર પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરી રહી હતી. દરમિયાન પાણી ગરમ થયું છે કે કેમ તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખતા બાળકીને કરંટ લાગ્યો હતો. હીટરમાં ફોલ્ટ હોવાથી કરંટ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બાળકીને કરંટ લાગતા તે નીચે પટકાતા ઘરના સભ્યો દોડી આવ્યા હતા. બાદમાં બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *