Gujarat

રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગની તવાઇ, ૫ કરોડ રુપિયાથી વધુની રોકડ મળી

રાજકોટ
રાજકોટમાં જવેલર્સને ત્યા ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ સતત ચોથા દિવસે પણ યથાવત છે. અત્યાર સુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગને પાંચ કરોડથી વધુની રોકડ મળી આવી છે. તો ૨૫ જેટલા સીલ કરાયેલા લોકર આજે ખોલવામાં આવી શકે છે. વેલ્યુઅરો દ્વારા સોનાની આકારણી કરવામાં આવી રહી છે. તો હજુ પણ ચાર દિવસ સુધી તપાસ ચાલે તેવી શક્યતા છે. આ ૈં્‌ રેડને ચાલુ નાણાંકીય વર્ષની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે તવાઇ બોલાવી છે. જવેલર્સના ૨૮ ઠેકાણાઓ પર તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી રાજકોટના રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ, જેપી જ્વેલર્સ અને એક્સપોર્ટ તેમજ વર્ધમાન બિલ્ડર્સ ગ્રૂપ પર સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ૨૫ બેન્ક એકાઉન્ટ, ૧૭ લૉકર, રૂપિયા ૫ કરોડ રોકડા અને કેટલાક શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજાે મળ્યા છે. આવકવેરાના અધિકારીઓ દ્વારા શોરૂમમાં રહેલા સોનાના સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *