Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધશાળામાં આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
 આજ રોજ ‘વિશ્વ યોગ દિવસ’ નિમિતે લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધશાળામાં  વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
               શાળાના વિશાળ મેદાનમાં શિક્ષક ભાઈઓ- બહેનો અને ૩૦૦  જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક યોગદિનની ઉજવણી થઈ હતી. ‘દિવાળી બા હાઇસ્કૂલ’ પીઠવડીના નિવૃત શિક્ષિકા શ્રી મંજુલાબેન દ્વારા વિદ્યાર્થીઓને  યોગની તાલીમ આપી યોગ અને કસરતના અલગ – અલગ  આસન કરાવવામાં આવ્યા હતા. અને સાથે સૌ  વિદ્યાર્થીઓને  યોગનું મહત્વ અને જીવનમાં કઈ રીતે યોગને અપનાવવા તે વિષેની ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી.
 લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધશાળાના સૌ શિક્ષક ભાઈઓ – બહેનો અને સાથે સૌ  વિદ્યાર્થી ઓએ ઉત્સાહપૂર્વક વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

IMG-20230621-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *