Delhi

આ IPOમાં રોકાણ કરવું જાેઈએ કે નહીં? જાણો વિશ્લેષકોની દ્રષ્ટિએ નફા અને નુકસાનના પરિબળ

નવીદિલ્હી
યથાર્થ હોસ્પિટલ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે નિર્ધારિત બીજા દિવસે ૨ ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું. આ ૈંર્ઁં ને ઊૈંમ્ રોકાણકારો માટે અનામત શ્રેણીમાં માત્ર ૨૬ ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. તે જ સમયે, આ ૈંર્ઁં ને દ્ગૈંૈં કેટેગરીમાં ૩.૫૭ ગણો અને રિટેલ રોકાણકારો માટે રિઝર્વ કેટેગરીમાં ૨.૪૬ ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. યથાર્થ હોસ્પિટલ આઈપીઓ જી.એમ.પી (રૂટ્ઠંરટ્ઠિંર ૐર્જॅૈંટ્ઠઙ્મ ૈંર્ઁં ય્સ્ઁ) કેટલું છે?.. તે જણાવીએ તો, બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર યથાર્થ હોસ્પિટલના શેર ગ્રે માર્કેટમાં રૂ. ૬૦ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.આ ૈંર્ઁંને પ્રથમ દિવસે કુલ ૧.૦૮ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. યથાર્થ હોસ્પિટલ આઈપીઓ જી.એમ.પી (રૂટ્ઠંરટ્ઠિંર ૐર્જॅૈંટ્ઠઙ્મ ૈંર્ઁં ય્સ્ઁ) જણાવીએ તો, ૨૩ જુલાઈએ જી.એમ.પી ૧૦૦, ૨૪ જુલાઈએ જી.એમ.પી ૭૫, ૨૫ જુલાઈએ જી.એમ.પી ૭૫, ૨૬ જુલાઈએ જી.એમ.પી ૬૦, ૨૭ જુલાઈએ જી.એમ.પી ૬૦ અને આજે ૨૮ જુલાઈએ જી.એમ.પી ૬૦ નોંધાઈ છે. ૈંર્ઁં ખુલ્યા પછી યથાર્થ હોસ્પિટલના શેરની ગ્રે માર્કેટની સ્થિતિ નબળી પડી રહી છે. ૈંર્ઁં ખુલતા પહેલા, તે ગ્રે માર્કેટમાં ૭૮ રૂપિયાના ય્સ્ઁ એટલેકે ગ્રે માર્કેટ પ્રીમિયમ પર હતો પરંતુ હવે તે ઘટીને ૬૦ રૂપિયા થઈ ગયો છે.
મોટા ભાગના બ્રોકરેજ હાઉસે આ ઈસ્યુમાં સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને ઉત્તર ભારતમાં તેની વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ ૈંર્ઁં પર દાવ લગાવવાની સલાહ આપી છે. રિલાયન્સ સિક્યોરિટીઝ, મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઇન્વેસ્ટમેન્ટ્‌ઝે ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. હેન્સેક્સ સિક્યોરિટીઝ માને છે કે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને અને લિસ્ટિંગ પર નફો કમાતા આ ઈસ્યુને સબસ્ક્રાઈબ કરી શકાય છે. રોકાણ સામે આ જાેખમ પણ છે ?.. તે જણાવીએ તો, બજાર નિષ્ણાતોએ યથાર્થ હોસ્પિટલના ૈંર્ઁંમાં રોકાણ કરવા માટેના ત્રણ મહત્ત્વના જાેખમો દર્શાવ્યા છે. પ્રથમ તે ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્યસંભાળ વ્યવસાયિકો પર ખૂબ ર્નિભર છે. પરિણામે જાે યથાર્થ હોસ્પિટલ આવા વ્યાવસાયિકોને આકર્ષવામાં, જાળવી રાખવામાં અને તાલીમ આપવામાં નિષ્ફળ જાય તો તેના વ્યવસાય અને નાણાકીય સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. બજારના નિષ્ણાતોના મતે કંપની તેની બ્રાન્ડ અને વિશ્વાસના બળ પર ટકી રહી છે અને જાે તે તેને જાળવવામાં નિષ્ફળ જશે તો તેના બિઝનેસને ફટકો પડી શકે છે. આ ઉપરાંત, યથાર્થ હોસ્પિટલ્સના ૈંર્ઁંમાં રોકાણ સાથે સંકળાયેલું એક જાેખમ પણ છે કે જાે તે તેના હોસ્પિટલના ઓક્યુપન્સી રેટને વધારવામાં નિષ્ફળ જશે તો તે જે મૂડી રોકાણ કરી રહી છે તેમાંથી તે પૂરતું વળતર મેળવી શકશે નહીં. આ તેની ઓપરેટિંગ કાર્યક્ષમતા અને નફાકારકતાને પણ અસર કરશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *