અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ĺમહા શિવરાત્રી ના પવિત્ર દિને ભારત તિબેટ સંઘ મહિલા વિભાગ તથા યુવા વિભાગ ગીર સોમનાથ જિલ્લા દ્વારા વેરાવળ ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહેલાં પરંપરાગત કાશી વિશ્વનાથ મંદિરમાં નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું
હતુંત્યારબાદ કૈલાસ માનસરોવર મુક્તિ સંકલ્પ લેવડાવેલા હતા. આ કાર્યક્રમમાં મંદિર સમિતિ ના પ્રમુખશ્રી રાજુભાઇ સુયાણી તથા BTS ગુજરાત મહિલા વિભાગ ઉપાધ્યક્ષ શ્રી જિજ્ઞાબેન પુરોહિત ની વિશેષ હાજરી રહેલ તથા BTS મહિલા વિભાગ ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સૂયાણી તથા BTS ગીર સોમનાથ જિલ્લા યુવા વિભાગ ના પ્રમુખશ્રી પાર્થભાઈ જેઠવા તેમજ BTS ગીર સોમનાથ જિલ્લા યુવા વિભાગ ના કાર્યાલય મંત્રી શ્રી જીતુભાઇ રાઠોડ તથા કાર્યકર્તાઓ ની ઉપસ્થિતી રહેલ.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


