Gujarat

માણાવદર, વંથલી, મેંદરડાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય ચૂકવો: ધારાસભ્ય અરવિંદ લાડાણી

માણાવદર, વંથલી અને મેંદરડા પંથકમાં ભારે વરસાદથી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે તેથી આ પંથકમાં થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે એ રજૂઆતમાં જણાવ્યું છે કે માણાવદર પંથકમાં પહેલા બીપોરજોય વાવાઝોડાએ ભારે નુકસાની કરી બાદ સતત વરસાદને કારણે ઓઝત નદીના પૂર આ વિસ્તારમાં ફરી વળતા ખેતીને નુકસાની થઈ છે માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને હેક્ટર દીઠ 30000 સહાય ચૂકવવામાં આવે તેમ જ માલધારીઓને વિનામૂલ્યે ઘાસ આપવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને કરી છે

તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230727_140330.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *